જેમાં જુનાગઢ જુના અખાડા થાણાપતિ ગૌધામ કોટીયા આશ્રમથી લહેર ગીરીબાપુ તેમજ સર્વેશ્વર ગૌધામ આશ્રમ કોબડી થી મહંત શ્રી જયદેવ શરણ મહારાજ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી બાળકોને શુભ આશિષ આપ્યા હતા . શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા તમામ ગુરુજી તથા સંતો મહંતોનું કુમકુમ તિલક પુષ્પહાર તથા શાલ ઓઢાડી તેમજ ગુરુ વંદનાથી કાર્યક્રમ દીપી ઉઠ્યો હતો. શાળાના તમામ ગુરૂજીનું સન્માન રામાયણ પુસ્તક દ્વારા સન્માનિત કરાયું હતું. આ કાર્યક્રમમાં શાળાના માર્ગદર્શક શ્રી ધર્મેશભાઈ કોરડીયા દ્વારા બાળકોને પ્રસંગોપાત ઉદબોધન કરવામાં આવ્યું હતું.
શાળાના ટ્રસ્ટીશ્રીઓ સંચાલકશ્રીઓ આ કાર્યક્રમમાં હાજર રહી કાર્યક્રમની શોભા વધારી હતી.
No comments:
Post a Comment