Sunday, February 26, 2023
આજરોજ જય જનની માં અનોખો નજારો નવા સત્ર ની શરૂવાત હજુ થઈ નથી ત્યાં જ આપણી શાળામાં આજે ધોરણ 9 નાં પ્રવેશ પરીક્ષા નું આયોજન થયું જેમાં આજુબાજુ નાં 41 ગામમાંથી કુલ 504 બાળકો માત્ર ધોરણ 9 નાં એડમિશન માટે પરીક્ષા આપવા આવ્યા હતા આના પરથી સમજી શકાય કે તળાજામાં સાચા શિક્ષણ ની તરસ છે આજે લોકો સાચું અને સારુ શિક્ષણ થી વાકેફ થઈ રહ્યા છે આજે આ કાર્યક્રમ ની સાથે આવેલ બાળકો ને શાળાના માર્ગદર્શક શ્રી ડી. જે કોરડીયા સાહેબ બાળકો ને સાચું શિક્ષણ શુ છે તેના વિશે સેમિનાર લઈ ને બાળકો માં અનોખી ચેતના ઉભી કરી હતી તેમજ આ તમામ બાળકો નેવિવિધ રમતો રમાડી તેમાં 1.2.3. નંબર આવેલા બાળકો ને ઇનામ આપીશ પોત્સાહિત કર્યા શાળાના આચાર્ય અને સંચાલક શ્રી તેમજ સ્ટાફ મિત્રોયે શાળામાંથી નાસ્તો તેમજ બાળકો ગિફ્ટ આપી બાળકો માં એક સાચો સ્નેહ આપ્યો હતો અને આ બાળકો જાણે અહીંજ અભ્યાસ કરતા હોય તેવું વાતાવરણ ઉભું કર્યું વાલી અને વિદ્યાર્થી નાં આ જ સહકાર દ્વારા આપણે તળાજાને એક સંપૂર્ણ સંકુલ આપવાના પ્રયત્ન કરી રહ્યા છીએ આવનારા વર્ષો માં આપનાં સહકાર થી જરૂર વિશ્વ વિધાલય આપણી શાળા જય જનની હશે આભાર 🙏💐💐💐
Subscribe to:
Post Comments (Atom)
-
👉 જય જનની વિદ્યા સંકુલ બપાડામાં આજે રક્ષાબંધનની ભવ્ય ઉજવણી થઈ 👉 જેમાં શાળાની બહેનો દ્વારા સરહદ પર તેનાત.. સૈનિકો તથા આપણા લોકપ્રિય વડાપ્ર...
No comments:
Post a Comment